• રવિવાર, 15 જૂન, 2025

વધુ 11 મૃતદેહ ઓળખાયા, પ્રક્રિયા ચાલુ

-અમદાવાદ સિવિલમાં ભીડ, 9 મૃતદેહ પરિવારજનોને સોંપાયા : 248 સગાંઓના બ્લડ સેમ્પલ લેવાયા

અમદાવાદ, તા.14 : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે વધુ 11 મૃતદેહની ઓળખ કરવામાં આવી છે તેમાંથી 9 મૃતદેહ સુપરત કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય 2 સુપરત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

 બાદ રાજ્ય સરકારે ત્વરિત એક્શન સાથે ગણતરીની મિનિટોમાં રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. રાજ્ય સરકારની આપદા પ્રબંધનની સંપૂર્ણ સજ્જતાથી વિવિધ તંત્રના સંકલન-સહયોગથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી ઝડપી બની છે. હાલમાં, એફ.એસ.એલની 3 ટીમ દ્વારા ડીએનએ સેમ્પલ એનાલીસીસની કામગીરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં 248 સગાં-સંબંધીઓના બલ્ડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. ગઈ કાલે 8 મૃતદેહની ઓળખ કરવામાં આવી હતી. જે મુસાફરો નહીં પરંતુ વિમાન દુર્ઘટના સ્થળ આસપાસના રહેવાસી હતા. તેને કાનૂની પ્રક્રિયા બાદ તેમના સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા.

નશ્વર અવશેષો સાથે તંત્ર ડીએનએ મેચિંગ, એફએસએલ રિપોર્ટ, શરીર પરના ઘરેણા તેમજ વસ્તુઓ પણ સોંપી રહ્યંy છે.

હોસ્પિટલ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા 5 ઈંઅજ અધિકારીઓ, 25 અધિક/નાયબ કલેક્ટર, 25 મામલતદારની સેવા પૂરી પાડવામાં આવી છે. તેમના દ્વારા મુખ્યત્વે નશ્વર અવશેષો તેમના કુટુંબીજનોને ઝડપથી સુપરત કરી શકાય તે અંગેની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.  આરોગ્ય વિભાગે ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યુરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાતો-સહાયકોની 5 ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાતો અને 20 સહાયકની ટીમ તેમજ બી.જે. મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે 12 નિષ્ણાતની ટીમ કાર્યરત કરી છે. રાજ્ય સરકારે નશ્વર અવશેષોની સગા-સંબંધીઓને સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ મેમ્બર્સ સહિત 192 એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. નશ્વર અવશેષો લઈ જવા માટે એમ્બ્યુલન્સ અને પોલીસ પાયલોટ સેવા પણ પ્રદાન કરવામાં આવે છે. 

પીડિતોના પરિવારજનોએ આ  નંબર પર સંપર્ક કરવો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે, જેનો ઉપયોગ પરિજનોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો છે: 9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025