ઉપલેટા: રાજકોટના થોરાળામાં રહેતી બે સંતાનની માતાએ પોતે અપરિણીત હોવાનું જણાવી ખોટું સોગંદનામું રજૂ કરી અન્ય યુવક સાથે લગ્ન કરી લેતાં પતિએ વીરપુર પોલીસમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના નવા થોરાળા લાખાજીરાજ
ઉદ્યોગનગરમાં રહેતા અને ટ્રક ડ્રાયવર તરીકે નોકરી કરતાં પીયૂશભાઇ ઉર્ફે પિન્ટુ દિનેશભાઈ
દેસાણીએ પત્ની જાનકી દેસાણી સામે વીરપુર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું
કે, તેને સંતાનમા એક દીકરી અને એક દીકરો છે. તેના લગ્ન તા.23/11/2017ના ઉપલેટા રહેતા
મામાની દીકરી જાનકી સાથે થયા હતા. એક વર્ષ પહેલા પત્નીને પથરીની બીમારી થતાં તેની સારવાર
ઉપલેટા હોસ્પિટલમાં ચાલતી હતી, તે ટ્રક ડ્રાઇવિંગ કરતો હોય પત્નીની સારવારમાં ધ્યાન
આપી શકતો નહોતો. આથી પત્ની માવતરે રોકાઈ હતી. ગઇ તા.06/04ના તેણી કોઈને કહ્યા વગર ક્યાંક
જતી રહેતા સસરાએ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બીજા દિવસે પત્ની પોલીસ સમક્ષ
હાજર થઈ ત્યારે પુછતાછ કરતા તેણીએ ઉપલેટાના
તલંગણા ગામના નિકુંજભાઈ અરાવિંદભાઈ સોજીત્રા સાથે ખોટું સોગંદનામું કરી વીરપુર ગ્રામ
પંચાયતમા લગ્ન નોંધણી કરાવી લીધી છે તેવુ જણાવતા
ત્યાં તપાસ કરાઈ હતી. પત્નીએ બીજા લગ્નની નોંધણી વખતે તેનું જૂનું એવું પિતાના નામવાળું
આધારકાર્ડ રજૂ કર્યુ હતું.
એક લગ્ન થયા હોવા છતાં ખોટું સોગંદનામું કરી વીરપુર ગાયત્રી મંદિર ખાતે બીજા લગ્ન કર્યા હતા. આ અંગેની પ્રથમ ગુમ થયાની ફરિયાદ ઉપલેટા પોલીસમાં થયા બાદ બીજા લગ્ન કર્યાની બીજી ફરિયાદ વીરપુર પોલીસ સ્ટેશનમાં થતાં આ અંગેનો ગુનો નોંધી આ મહિલા, લગ્ન વિધિમાં હાજર રહેલ બોરબાપા સહિત સાક્ષી તેમજ બન્ને અસીલની ધરપકડ કરી બાદમાં જામીન મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી