અમદાવાદ દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવે જાહેર કરી વિગતો
નવી
દિલ્હી તા.14 : અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાનની દુર્ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના
સચિવ સમીર કુમાર સિન્હાએ પત્રકાર પરિષદ યોજી કેટલીક માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું
કે વિમાને 1:39 મિનિટે ઉડાન ભરી હતી અને 6પ0 ફૂટની ઉંચાઈએ પહોંચવામાં નિષ્ફળ રહ્યું
હતું, ત્યાર બાદ પાયલટે ઈમરજન્સી જાહેર કરી હતી.
1ર
જૂનની બપોરે એવું તે શું થયું કે વિમાન ટેકઓફ બાદ તુરંત તૂટી
પડયું
? તે અંગે 48 કલાક બાદ પણ કારણ અંગે દ્વિધા છે તેવા સમયે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના
સચિવ સમીર કુમારે સિન્હાએ કેટલીક સત્તાવાર વિગતો રજૂ કરી છે જે મુજબ 1ર જૂને લગભગ ર
વાગ્યે અમોને જાણ થઈ કે અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ક્રેશ થયું છે. વધુ માહિતી
માટે અમોએ તુરંત અમદાવાદ એટીસીનો સંપર્ક કર્યો. જાણવા મળ્યું કે એઆઈ 171માં કુલ ર4ર
લોકો સવાર હતા અને તેમાં ર30 મુસાફર, ર પાયલટ અને 10 ક્રૂ મેમ્બર હતા.
સિન્હાએ
જણાવ્યું કે વિમાને 1:39 મિનિટે રન વે ઉપર ઉડાન ભરી હતી. 6પ0 ફૂટે વિમાનમાં કંઈક ખરાબી
આવી અને વિમાન ઉંચાઈ પકડી શક્યું ન હતું. તે સમયે પાયલટે મેડે કોલ (ઈમરજન્સી) કોલ આપ્યો
હતો. જયારે એટીસીએ પાયલટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો જવાબ મળ્યો ન હતો. બરાબર 1 મિનિટ બાદ વિમાન એરપોર્ટથી ર કિમી દૂર સ્થિત
મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડયું હતું. આ વિમાન પેરિસથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ
આવ્યું હતુ જે યાત્રા સુરક્ષિત રહી હતી તે દરમિયાન કોઈ પરેશાની ન હતી.
-------------------
ઉચ્ચસ્તરીય
સમિતિ ઘડાઈ, 3 મહિનામાં રિપોર્ટ
અમદાવાદ
વિમાન દુર્ઘટના અંગે ઉડ્ડયન મંત્રી નાયડૂનું એલાન
નવી
દિલ્હી, તા.14 : અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં
આવી છે જે 3 મહિનામાં રિપોર્ટ સોંપશે ત્યાર બાદ આ બનાવનું સત્ય સામે આવશે. કેન્દ્રના
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ એલાન કર્યુ કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ
માટે હાઈ લેવલ કમિટીની રચના કરવામાં આવી છે જે 90 દિવસમાં રિપોર્ટ સોંપશે. મંત્રીએ
કહયું કે દુર્ઘટના પહેલા પાયલટ તરફથી ઈમરજન્સીનો કોલ આવ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી
નાયડૂ ઉપરાંત રાજય મંત્રી મુરલીધર મોહલે અમદાવાદ વિમાન ક્રેશ અંગે વિગતો જણાવી હતી.
તેમણે જણાવ્યું કે બનાવ બાદ અમદાવાદ એરપોર્ટના રન વે ને અઢી વાગ્યે બંધ કરાયો હતો.
સાંજે પ વાગ્યે ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. બનાવના ગણતરીના સમયમાં સ્થળ પર રેસ્ક્યૂ
ટીમો પહોંચી ગઈ હતી. બનાવની વધુ વિગત સચિવ સિન્હાએ જાહેર કરી હતી.