• રવિવાર, 15 જૂન, 2025

પુનરાગમન માટે ખુદને ભાગ્યશાળી માનતો કરુણ નાયર

બેકેનહમ (ઇંગ્લેન્ડ), તા.13:  આઠ વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ડોમેસ્ટિક ક્રિકેટના કિંગ કરુણ નાયર ખુદને આ માટે ઘણો ભાગ્શાળી માને છે. 33 વર્ષીય કરુણ નાયર ઇંગ્લેન્ડ પ્રવાસમાં ઇન્ડિયા એ ટીમ તરફથી રમતા ઇંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તેનું ભારતની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે.

નાયરે એક મુલાકાતમાં જણાવ્યું ભારત તરફથી ફરી રમવા માટે ભાગ્યશાળી બન્યો છે. હું આ મોકો બન્ને હાથે પકડી રાખવાની કોશિશ કરીશ. મારી વાપસી હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આ એક સપના સમાન છે.

કરૂણ નાયરે રણજી ટ્રોફીમાં વિદર્ભ તરફથી શાનદાર દેખાવ કરીને 863 રન બનાવ્યા હતા જ્યારે વિજય હઝારે ટ્રોફીમાં 8 ઇનિંગમાં પ સદી કરી હતી. આ દરમિયાન તેની સરેરાશ 389.પ0 રહી હતી. કરુણ નાયર ભારત તરફથી 6 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે ત્રેવડી સદી ફટકારી હતી. એ પછીથી તે નિષ્ફળ રહ્યો અને ટીમ ઇન્ડિયાની બહાર થઇ ગયો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

રાજુલા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ June 15, Sun, 2025