અકસ્માતના કારણો અંગે ટેકનિકલ તપાસ શરૂ
નવી
દિલ્હી, તા.14: ભારતના ઈતિહાસમાં સૌથી ખરાબ વિમાન દુર્ઘટના બની છે, જ્યારે એર ઈન્ડિયા
પ્લેન અમદાવાદથી લંડન માટે ઉડાન ભર્યાની મિનિટોમાં તૂટી પડયું હતું. વિમાન એરપોર્ટથી
થોડા કિલોમીટર દૂર સ્થિત એક મેડિકલ હોસ્ટેલમાં અથડાયું હતું, જેના કારણે માત્ર વિમાન
જ બળીને રાખ થઈ ગયું નહીં, પરંતુ હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું હતું.
આ ભયાનક
અકસ્માતમાં 265 લોકોએ જીવ ગુમાવ્યા. વિમાનમાં કુલ 242 મુસાફર અને ક્રૂ સભ્યો હતા, જેમાંથી
241 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે મેડિકલ હોસ્ટેલના 24 લોકો પણ આ અકસ્માતમાં મૃત્યુ
પામ્યા હતા. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર વિશ્વાસ કુમાર રમેશ બચી શક્યો હતો, જે હાલમાં
હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
દુનિયાભરના
વિમાન નિષ્ણાતો આ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. અમેરિકન અને બ્રિટિશ તપાસ એજન્સીઓ
પણ ભારતીય અધિકારીઓ સાથે મળીને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ દરમિયાન,
એક કોમર્શિયલ પાઇલટ અને યુટયુબર કેપ્ટન સ્ટીવે આ અકસ્માત અંગે ચોંકાવનારું વિશ્લેષણ
રજૂ કર્યું છે.
કેપ્ટન
સ્ટીવ માને છે કે ટેકઓફ પછી તરત જ માનવીય ભૂલને કારણે આ અકસ્માત થયો હશે. તેમના મતે,
મુખ્ય પાઇલટે કો-પાઇલટને ‘િગયર અપ’ એટલે કે લેન્ડિંગ ગિયર ઉપર ખેંચવાનો નિર્દેશ આપ્યો
હશે પરંતુ કો-પાઇલટે ભૂલથી લેન્ડિંગ ગિયરને બદલે વિંગ ફલેપ્સ ખેંચી લીધા હોઈ શકે. વિંગ
ફલેપ્સ એ કંટ્રોલ સાધનો છે જે વિમાનની પાંખોની ધાર પર લગાવવામાં આવે છે. ટેકઓફ અને
લેન્ડિંગ દરમિયાન, તેમને નીચે તરફ કરવામાં આવે છે જેથી વિમાન વધુ ઉંચાઈ મેળવે અને સલામત
ગતિએ ઉપર અથવા નીચે ઉતરી શકે. કેપ્ટન સ્ટીવનું અનુમાન છે કે ટેકઓફ પછી તરત જ ફલેપ્સનેઉપર
ખેંચવાથી : વિમાન ઉપર જવાનું ગુમાવે છે. સ્પિડ અને ઊંચાઈ અચાનક ઘટી જાય છે અને તેના
કારણે વિમાન ઝડપથી નીચે આવી જાય છે. જો ખરેખર આવું બન્યું હોય, તો આ તકનીકી ભૂલ આ ભયંકર
દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ ઘટના પછી, યુએસ એજન્સી ગઝજઇ અને બ્રિટનની ઉડ્ડયન સલામતી
એજન્સી અઅઈંઇ ભારતના ઉઋઈઅ સાથે મળીને અકસ્માતની તપાસ કરી રહી છે. એવું માનવામાં આવે
છે કે કોકપીટ વોઇસ રેકોર્ડર અને ફલાઇટ ડેટા રેકોર્ડર સ્પષ્ટ કરશે કે ટેકઓફ સમયે પાઇલટ્સ
વચ્ચે શું વાતચીત થઈ હતી અને વિમાનની નિયંત્રણ પ્રણાલીમાં અંતિમ પ્રવૃત્તિ શું હતી.
પોર્ટુગલ,
બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડાના નાગરિકો પણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. આ દેશોએ
ભારતને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.