• રવિવાર, 28 એપ્રિલ, 2024

જામનગરમાં વકીલ પલેજાની હત્યા કેસમાં ઝડપાયેલા આઠ આરોપીની સઘન પૂછપરછ

 આરોપીઓને આશ્રય આપનાર લોકોને પણ છોડવામાં નહીં આવે એસ.પી.

જામનગર, તા. ર7 : જામનગરના બેડીમાં વકીલ હારૂન પલેજાની સરાજાહેર હત્યા નીપજાવવામાં આવી હતી અને  આ હત્યામાં સંડોવાયેલા સાયચા ગેંગના 1પ શખસ સામે ફરિયાદ નોંધાયા બાદ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી લેવા માટે જુદી-જુદી છ ટીમો બનાવાઈ છે જેમાં હત્યામાં સંડોવાયેલા આરોપી બશીર જસુબ હાજીભાઈ સાયચા, ઈમરાન નુરમામદભાઈ હાજીભાઈ સાયચા, સિકંદર નુરમામદભાઈ હાજીભાઈ સાયચા, રમજાન સલીમભાઈ જુસબભાઈ સાયચા, દિલાવર હુશેનભાઈ સુલેમાનભાઈ કકલ, સુલેમાન હુશેન કકલ તથા બે દાયકાથી સંઘર્ષિત કિશોરને ઝડપી લેવામાં આવ્યા છે અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ ઝડપાયેલા આરોપીઓને પત્રકારો સમક્ષ રજૂ કરી જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપી લેવા માટે ડીવાયએસપી જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમો બનાવાઈ છે જેમાં એલસીબી, એસઓજી, સિટી-બી ડિવિઝનનો સ્ટાફ જોડાયો છે. બાકીના તમામ આરોપીઓને ટૂંક સમયમાં  ઝડપી લેવામાં આવશે અને આરોપીઓને આશ્રય આપનાર વ્યક્તિઓને પણ છોડવામાં નહીં આવે તેમ એસ.પી.પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક