• શનિવાર, 27 જૂન, 2026

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: ધોરાજીના સુપેડી ગામનાં લાભુબેન દિનેશભાઈ ચૌહાણનું અવસાન થતા પરિવારજનોએ સ્વ.લાભુબેન ચક્ષુદાન કરવા અંગે ધોરાજી માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરિયા અને સાગર સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડો.જયેશ વેસેટીયન અને ડો. રાજ બેરા અને મેડિકલ ટીમે ચક્ષુદાન સ્વિકારવાની સેવાઓ બજાવી હતી. આ તકે પીયૂષભાઈ ચૌહાણ, જયેશભાઈ સોલંકી, કુલદીપભાઈ ચૌહાણ, ધવલભાઈ ચૌહાણ સહિતના હાજર હતા.

રાજકોટ: ટંકારા નિવાસી હાલ રાજકોટ સ્વ.રવિચંદ રાયચંદ સંઘવીના પુત્ર ભરતભાઈ સંઘવીના પત્ની જ્યોતિબેન (જયાબેન) (ઉં.67) તે બીનાબેન દીપેશકુમાર શાહ, પારસભાઈના માતા, ધારાબેનના સાસુ, કલ્પ, આંસીના દાદી, સ્વ.શરદભાઈ, કમલેશભાઈ, સયુબેન પ્રવીણકુમાર મીઠાણીના ભાભી, સરાવાળા સ્વ.મનહરલાલ છગનલાલ દોશીના પુત્રી, નરેશભાઈ, રમાબેન, મધુબેન, હંસાબેન, ચંદ્રિકાબેનના બેન, સંઘાણી સંઘના બા.બ્રહ્મચારી જયા વિજયાબાઈ મહાસતીજીના સંસારી ભત્રીજા વહુનું તા.26ના અવસાન થયું છે. ઉઠમણું તા.28ને રવિવારે સવારે 10 વાગ્યે, પ્રાર્થનાસભા 10-30 કલાકે શેઠ ઉપાશ્રય, 150 ફુટ રીંગ રોડ, કેકેવી સર્કલ પાસે, રાજકોટ રાખેલ છે. મો.નં.80005 65761

જામનગર: ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ અનસુયાબેન સરસ્વતીચંદ્ર જોષી (ઉં.84) તે સ્વ.સરસ્વતીચંદ્ર ગોપાલજી જોષી (કાકુભાઈ)ના પત્ની, રાજેન્દ્ર (જામનગર), ધર્મેશ, યોગેશ (મુંબઈ), ચેતના હેમેન્દ્ર મીન (રાજકોટ)ના માતા, નિવૃત્ત મામલતદાર લલિતચંદ્ર, સ્વ.પ્રવિણચંદ્ર (જિલ્લા પંચાયત)ના ભાભી, સાકરલાલ શુક્લના પુત્રી, કરણ, સ્મિત, ઈશીતા, ડોલીના દાદી, પ્રેરણાના નાનીનું તા.26ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની સાદડી તા.29ના સાંજે 6 થી 7, કષ્ટભંજન હનુમાન મંદિર, સત્સંગ હોલ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન, જામનગર છે.

સાવરકુંડલા: લલિતભાઈ દિનકરરાય ત્રિવેદી (ઉં.63) તે મુકુંદરાય, મહેન્દ્રકુમાર, રજનીકાંતના ભાઈ, કિરણબેન કલ્પેશભાઈ ત્રિવેદી, ધ્રુવીબેન પિયુષભાઈ વિરાણી, ધવલ લલિતભાઈ ત્રિવેદીના પિતાનું તા.26ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ ગુરૂકુળ સામે, સાવરકુંડલા છે.

ગોંડલ: શાંતાબેન સુખલાલભાઈ રજક તે જગદીશભાઈના માતાનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.27ના સાંજે 4 થી 6, હરભોલે સોસાયટી, એસ.આર.પી.ની પાછળ, ગોંડલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક