કાલાવડમાં
શિક્ષણ જ્યોત પ્રજ્વલિત કરનાર પૂંજાભાઈ સોલંકીનું અવસાન
કાલાવડ
: કાલાવડ તાલુકાના જશાપર ગામના 98 વર્ષીય સામાજિક અગ્રણી અને મેઘવાળ સમાજના શિક્ષણપ્રેમી
સેવાભાવી પૂંજાભાઈ ટાભાભાઈ સોલંકીનું તા.16ના અવસાન થતાં મેઘવાળ સમાજમાં શોકની લાગણી
છવાઈ છે. સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે તેવા ઉમદા હેતુથી આશરે પપ વર્ષ
પૂર્વે કાલાવડ ખાતે સ્થાપિત મેઘવાળ સમાજની છાત્રાલયમાં પૂંજાભાઈ સોલંકી સ્થાપક અગ્રણીઓમાંના
એક હતા. યુવાન વયથી જ તેમણે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની
તકો મળે તે માટે સતત કાર્ય કર્યુ હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તા.18ને સવારે 10 વાગ્યે
યોજાશે. જેમાં સમાજના આગેવાનો, વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી સદગતને
શ્રદ્ધાસુમન અર્પણ કરશે. તેમ તેમના પુત્ર, સામાજિક આગેવાન ગુલાબભાઈ સોલંકીએ જણાવ્યું
છે.
ચક્ષુદાન,
દેહદાન
રાજકોટ:
પુષ્પાબેન મજીભાઈ ચંદેનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 892મું ચક્ષુદાન તથા 73મું
દેહદાન થયું છે.
રાજકોટ:
કોટડાસાંગાણી નિવાસી હાલ રાજકોટ શ્રવણદાસ અમરદાસ નિમાવત (ઉ.78) તે રવિભાઈના પિતાનું
તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં બપોરે 4 થી 6 મહાકાલેશ્વર મંદિર, ગૌશાળાની
સામે, ‘જય સીયારામ’, જુના સ્વાતીપાર્ક, પાણીના ટાંકા પાસે, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ
છે.
રાજકોટ:
ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ રોહિતભાઈ નૌતમલાલ શુકલ મૂળ ગોંડલ હાલ રાજકોટ (ઉ.76), સ્વ.નૌતમલાલ
છોટાલાલ શુકલના પુત્ર, જ્યોત્સનાબેન શુકલના પતિ, સમીરભાઈ, બીનાબેન જોશીના પિતા, શ્રીમતી
હીનાબેન વ્યાસ તથા ત્રિલોકભાઈના ભાઈ, દેવાંગભાઈ જોશી, ઉર્વીબેન શુકલના સસરા, પિનાકીન
તુલસીદાસ વ્યાસના બનેવી, ધૈર્ય શુકલના દાદા, રુદ્ર જોશીના નાનાનું તા.16 ના અવસાન થયું
છે. પ્રાર્થનાસભા, શ્વસુરપક્ષની સાદડી સાથે તા.19 નાં સાંજે 4 થી 6 રાખેલ છે.
રાજકોટ:
સ્વ.ડાયાલાલ કરશનજી ઠાકરના પત્ની જશુમતીબેન (ઉ.93) તે રમેશચંદ્ર ડાયાલાલ ઠાકરના માતા,
પ્રણવના દાદીનું તા.15 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 નાં સાંજે 4:30 થી 6 રાષ્ટ્રીયશાળા
પ્રાર્થનાખંડ, રાજકોટ છે.
ગઢડા:
યુનુસભાઈ કાદરભાઈ ગનીયાણીનું તા.16 ના અવસાન થયું છે. જિયારત તા.18 ના 9:30 થી 10:30
પુરુષ માટે મદીના મસ્જીદમાં અને બહેનો માટે તેમના નિવાસ સ્થાને હરીપર રોડ, રાબિયાપાર્ક,
ગઢડા છે.
બગસરા:
શ્રીમાળી બ્રાહ્મણ કિરીટકુમાર રમણીકભાઈ ત્રિવેદી (ઉં.63) તે સ્વ.પ્રકાશભાઈ, સ્વ.જગદીશભાઈ,
રાજુભાઈ, દીપકભાઈ તેમજ જયેશભાઈના નાનાભાઈ, કૌશિકભાઈ, નિશિતભાઈ તથા મયુરભાઈના કાકાનું
તા.17 ના અવસાન થયું છે. બેસણુ, ઉઠમણુ તા.18 નાં સાંજે 4 થી 6 રાધે શ્યામ ધૂન મંડળ,
તિરૂપતિનગર
ખાતે
છે.
રાજકોટ:
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન-આમરણ-રાજકોટ નિવાસી સ્વ.લહેરીકાંત તલકચંદ દોશીનાં ધર્મપત્ની
રમાબેન (ઉ.90) તે રાજેશભાઈ, સ્વ.નિલેશભાઈ, સ્વ.જયશ્રીબેન રાજેશભાઈ ટીંબડીયા, જ્યોતિબેન
પંકજભાઈ માવાણી, નિલા બીપીનભાઈ પારેખનાં માતા, સાધનાબેન, હર્ષાબેનનાં સાસુ, સ્વ.નરભેકુંવરબેન
ઉમેદલાલ સંઘાણીના પુત્રી, સંઘાણી પરિવારનાં બા.બ્ર.જ્યોત્સનાબાઈ મહાસતીજી, મુળવંતભાઈનાં
બહેનનું તા.1ર નાં મીરા રોડ, મુંબઈ ખાતે અવસાન થયું છે. લૌકીક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
મધૂસૂદન પિતાંબરભાઈ બગડાઈ (ઉ.85) તે સ્વ.મુકુંદભાઈ, દિનેશભાઈના ભાઈ, રાજુભાઈ, પરેશભાઈ
અને પ્રિતીબેન રાજેશકુમાર ખીમાણી (ગોંડલ)નાં પિતા, યશ્વી, ધ્રુમીલ, અભય તથા ક્રીશાના
દાદા, મોહનલાલ એન્ડ સન્સ (સ્ટેશનરીવાળા) ના જમાઈનું તા.17 ના અવસાન થયું છે. બેસણુ,
બન્ને પક્ષની સાદડી તા.18 નાં સાંજે પ થી 6 પટેલવાડી, જલારામ ચોક, વાણીયાવાડી, રાજકોટ
છે.