• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

avshan nodh

બહાઉદ્દીન સાયન્સ કોલેજના આચાર્યના પિતાનું અવસાન

જૂનાગઢ: મૂળ ભાવનગર નિવાસી પ્રવીણચંદ્ર મનુશંકર ભટ્ટ (ઉં.92) તે વિનોદચંદ્ર અને પ્રદ્યુમ્નભાઈના મોટાભાઈ, સ્વ.હરિલાલ કાલિદાસ પંડયાના જમાઈ, પ્રકાશભાઈ (બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ) આર.પી.ભટ્ટ, પૂર્ણિમાબેન મુકેશભાઈ જોશીના પિતા, મુકેશકુમાર જોશી (એસ.બી.આઈ.), શોભનાબેન ભટ્ટના સસરા, વૃષ્ટિબેન અને હિરણબેનના દાદાનું તા.1પના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 4થી 6 પ્રમુખ સ્વામી હોલ, અક્ષર મંદિર, જૂનાગઢ છે.

 

ચક્ષુદાન

રાજકોટ: રાજકોટ મોઢવણિક સમાજના સ્વ.સુરેન્દ્રભાઈ હરિલાલ મહેતાનું અવસાન થતા સેવાભાવી સ્વજન હેમાંગભાઈ કલ્યાણીની પ્રેરણાથી કેયુરભાઈ, પારસબેન, અવનિબેન, કલ્પેશકુમાર અને પરિવારજનોએ ચક્ષુદાનનો નિર્ણય લીધો હતો. સ્વ.સુરેન્દ્રભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજકો અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કાર્યવાહી કરાઈ હતી. સંસ્થાનું આ ર1પમું ચક્ષુદાન છે.

રાજકોટ: મૂળ ઢાંક નિવાસી ઇન્દુમતીબહેન છગનભારતી ગોસ્વામી (હાલ રાજકોટ) તે ડો. વિજયભારતી સી. ગોસ્વામી, કમલેશભારતી સી. ગોસ્વામી, મનીષભારતી સી. ગોસ્વામીનું માતાનું તા.14ના અવસાન થયું છે. બેસણું તા.17ને ગુરૂવારે 4 થી 6 શાત્રીનગર (અજમેરા) નાના મૌવા મેઇન રોડ, સર્વધર્મ મંદિરની સામે, કોમન પ્લોટમાં રાજકોટ છે. તેમની શંખોદ્વાર તથા પૂજન વિધિ તા.24ને ગુરૂવારે છે.

જૂનાગઢ: ત્રિભોવનભાઇ ગોવિંદજી લખાણી (સરાડીયા વાળા)ના પત્ની મંજુલાબેન (ઉ.75) તે  સ્વ. દોલતરાય ગોવિંદજીના લઘુબંધુના પત્ની, જતીનભાઇ, નિશાબેન કૌશિક ખેલૈયાઓના માતા,  આકાશ (સુરત)ના કાકી, ઝીલ, આસ્થાના દાદીનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17ના બપોરે 3 થી 6 ઓમકારેશ્વર મહાદેવ મંદિર, જૂનાગઢ છે.

જૂનાગઢ: ડેવિડભાઇ બિપીનચંદ્ર વૈદ્યના પત્ની ઉષ્માબેન તે અપેક્ષા, ઝીંકાય અને નિરિક્ષાના  માતાનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.17ના સાંજે 5 થી 6 અનંત ધર્માલય, જૂનાગઢ છે.

જૂનાગઢ: હર્ષિદાબેન ટોલીયા તે સ્વ. નગીનદાસ શાંતિલાલના પત્ની, નવનીતભાઇ, જીજ્ઞેશભાઇ (કુમારભાઇ), ભારતીબેન મહેતા, જેલાબેન ઘૂઘુ, પલ્લવીબેન લાઠીયા, સાધનાબેન  કોઠારીના માતા અને સ્વ. ગુલાબભાઇ, કનુભાઇ, સ્વ. વજુભાઇ, અશોકભાઇ ટોલીયાના ભાભીનું  તા.15ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.16ના સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન દેવવાડી, ઉપરકોટ રોડથી નિકળશે.

રાજકોટ: દ.સો. વણિક બગસરા નિવાસી હાલ રાજકોટ નિર્મળાબેન પ્રવીણચંદ્ર વસાણી (ઉ.75) તે પ્રવીણભાઇના પત્ની, સુરેશભાઇ, કિરીટભાઇ, નરેન્દ્રભાઇ, રમેશભાઇ, સ્વ. અનસૂયાબેન વ્રજલાલભાઇ મહેતા, જ્યોત્સનાબેન જીતેન્દ્રભાઇ શેઠના ભાભી, પિયુષભાઇ, મીનાક્ષીબેન સંજયભાઇ, સોનલબેન રાજેશકુમાર મહેતાના માતા,  ચેતનાબેનના સાસુ, ડોકટર પ્રેમના દાદીનું તા.14ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.17નાં સાંજે 4 થી 5-30 તેમના નિવાસસ્થાન પેન્ટાગોન બેન્કવેટ હોલ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મોટા મવા, રાજકોટ ખાતે રાખેલ છે.

ધ્રોલ: સ્વ. મનહરલાલ અમૃતલાલ ધાંધાના પુત્ર કિરીટભાઇ (ઉ.58) તે નિલેશભાઇના મોટા ભાઇનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.17નાં સાંજે 5 થી 6 રજપુત સમાજ વાડી, (દરબારગઢ પાસે) ધ્રોલ છે.

રાજકોટ: અરવિંદભાઇ શાંતિલાલ ફિચડિયા (ઉ.80) (મુળ માંગરોળ, હાલ રાજકોટ) તે મિનાક્ષીબેનના  પતિ, ડો. મલય ફિચડિયા, રચનાબેન મેહુલકુમાર દિવેચા, ખ્યાતિબેન  સંજયકુમાર જાનાણીના પિતા, ડો. અવની ફિચડિયાના સસરા, દેવ, સુમનના દાદા, સ્વ. સ્નેહલતાબેન, સ્વ. શરલાબેન, દમયંતીબેનના ભાઇ, સ્વ. મનસુખલાલ મોતીલાલ કોઢીંયા (ઉદયપુર)ના જમાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. નવિનભાઇ, જસવંતભાઇ, દિલીપભાઇ તથા હિતેનભાઇના બનેવીનું તા.15ના અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું- પ્રાર્થના સભા તા.17 નાં સાંજે 4-30 થી 6 નાગર બોર્ડિગ ઉપરનો હોલ, વિરાણી સ્કૂલની સામે, રાજકોટ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક