-સ્પીકર ઓમ બિરલાએ કહ્યું, હવે બેનરો, પોસ્ટરોનું પ્રદર્શન નહીં
નવી
દિલ્હી, 17 (પીટીઆઈ) : લોકસભાએ મંગળવારે આઠ
વિપક્ષી સભ્યોના સસ્પેન્શનને તાત્કાલિક અસરથી રદ કરી દીધું હતું, જેમને ત્રીજી ફેબ્રુઆરીએ
‘અનિયંત્રિત’ વર્તન માટે ગૃહમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, સ્પીકર ઓમ બિરલાએ
ભારપૂર્વક જણાવ્યું હતું કે ગૃહની અંદર અથવા સંસદ સંકુલમાં કોઈ પ્લેકાર્ડ, પોસ્ટર,
ફોટા અથવા એઆઇ નિર્મિત તસવીર પ્રદર્શિત થવી જોઈએ નહીં. કોંગ્રેસના સભ્ય કે સુરેશે ગૃહને આઠ વિપક્ષી સભ્યોના
સસ્પેન્શનને રદ કરવા પર વિચાર કરવા વિનંતી કરતાં અને કહ્યું કે ગૃહમાં જે કંઈ બન્યું
તે દુ:ખદ છે, અને તેમનો પક્ષ ગૃહના સુચારુ સંચાલનમાં સહયોગ આપવા તૈયાર છે.
અનેક
વિપક્ષી સભ્યોની રજૂઆતો બાદ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે ગૃહના
સુગમ સંચાલન માટે ‘લક્ષ્મણ રેખા’ બનાવવાની જરૂર છે, જેના પર ટ્રેઝરી અને વિપક્ષી બેન્ચ
બંને સંમત થયા હતા.
સ્પીકર
બિરલાએ કહ્યું કે ગૃહમાં અથવા સંસદ સંકુલની અંદર કોઈ પ્લેકાર્ડ, પોસ્ટર, ફોટા અથવા
એઆઇ-નિર્મિત તસવીરો પ્રદર્શિત ન થાય તેની ખાતરી કરવાની જરૂર છે.
બિરલાએ
કહ્યું કે દરેકનો મત છે કે વિશ્વના સૌથી મોટા લોકશાહીની સંસદમાં કાર્યવાહી સરળ હોવી
જોઈએ, અને દરેકે સહયોગ આપવો જોઈએ. ત્યારબાદ
રિજિજુએ કોંગ્રેસના સાત સાંસદો અને એક સીપીઆઈ-એમ સભ્યના સસ્પેન્શનને દૂર કરવા માટે
એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેને ધ્વનિ મતદાન દ્વારા સ્વીકારવામાં આવ્યો.
સસ્પેન્ડ
કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના ગુરજીતાસિંહ ઔજલા, હિબી એડન, સી કિરણ કુમાર રેડ્ડી, અમારિંદર
સિંહ રાજા વારિંગ, મણિકમ ટાગોર, પ્રશાંત પાડોલે અને ડીન કુરિયાકોસે અને સીપીઆઈ (એમ)ના
એસ વેન્ટકેસનનો સમાવેશ થાય છે.