• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

બાંકીપુરમાં ભાજપનાં પરાજય બાદ મોદીને મળતા નીતિશ

બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપનાં પરાજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે મુલાકાત કરી હતી. ભાજપના સહયોગી પક્ષ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશે સંસદ ભવન પરિસરમાં વડાપ્રધાન મોદી સાથે તેમની ચેમ્બરમાં તેમની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા પણ હાજર રહ્યા હતા. નીતિશે આ મુલાકાતને શિષ્ટાચાર મુલાકાત ગણાવી છે. જોકે, બાંકીપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર બાદ આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. સૂત્રોના હવાલેથી અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી અને નીતિશ કુમારે એક દિવસ પહેલાં જાહેર થયેલા પટના શહેરની બાંકીપુર બેઠકના પેટાચૂંટણી પરિણામો અંગે પણ ચર્ચા કરી હતી. જોકે, ભાજપ કે જેડીયુ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક