અમદાવાદ, સૂરત અને રાજકોટમાંથી એક હજારથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત : સર્ચ ઓપરેશનમાં વડોદરા પોલીસની કામગીરી સામે સવાલો
અમદાવાદ,
સુરત, રાજકોટ, વડોદરા તા. 26: કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હૂમલામાં
ત્રણ ગુજરાતી સહિત કુલ 28 લોકોની નિર્દયી હત્યાના પગલે વિશ્વ આખું હચમચી ગયુ છે ત્યારે
કેન્દ્ર સરકારે પણ અનેક કડક પગલાં લીધા છે તેની સાથે દરેક રાજ્યોમાંથી ગેરકાયદે રહેતા
પાકિસ્તાનીઓને અને બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે સરકારે ઝૂંબેશ ઉપાડી છે. આ સંદર્ભમાં
ગુજરાત પોલીસે રાતોરાત ઓપરેશન હાથ ધરીને અમદાવાદમાંથી 890, સુરતમાંથી 134 વિદેશી નાગરિકો
તેમજ રાજકોટમાંથી 11 શકમંદને ઝડપી લીધા હતાં જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. અમદાવાદમાં
ઝડપાયેલા
બાંગ્લાદેશીઓને પૈકી મોટાભાગનાઓને વહેલી સવારે કાંકરિયા
ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે એકત્રિત કરીને રસ્તાની ચારેબાજુ દોરડાની અંદર કોર્ડન કરીને પોલીસ
બંદોબસ્ત વચ્ચે ચાલતા-ચાલતા પહેરામપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યાં હતાં. સુરત પોલીસ
પણ આ પ્રકારે ઘૂસણખોરોને પોલીસમથક સુધી લઈ ગઈ હતી. જો કે, આ મુદ્દે સતર્કતા દાખવવામાં
વડોદરા પોલીસ રાત્રે ઘોર નિદ્રામાં રહી હતી અને સવારે અમદાવાદ અને સૂરત પોલીસમાં ઘૂસણખોરો
સામેની કાર્યવાહી જોઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું અને વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ
લોકો નવી તપાસ શરૂ કરી હતી.
આજરોજ
સવારે કલાક 3:00થી અમદાવાદ શહેરમાં કાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘુસણખોરોને પકડવા
સારું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એસોજી ઇઓડબ્લ્યુ તેમજ ઝોન 6 તથા હેડ ક્વાર્ટરની
ટીમો સાથે કોમ્બિંગ હાથ ધરીને 890 જેટલા વિદેશીઓને ઝડપી લીધા હતા આજે અમદાવાદ પોલીસ
કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની
વિસ્તૃત વિગતો આપી હતી. તેમણે કહ્યંy કે બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત
નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના
મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.
અમદાવાદના
ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેમાં
470 પુરુષ અને બાકીના મહિલાઓ અને બાળકો છે.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં શંકાસ્પદ બાંગ્લાદેશીની અટકાયતનો મામલે ક્રાઈમ
બ્રાંચ દ્વારા 15 ટીમ બનાવી શંકાસ્પદ લોકોના દસ્તાવેજ તપાસવાની કામગીરી થઈ રહી છે.
ભારતીય નાગરિકતા હોવાના પુરાવા અંગે કરાઇ ખરાઈ રહી છે.
બીજી
તરફ સુરત પોલીસે પણ ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ ઉપર સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી
અને એક જ દિવસમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડયાં હતાં. સુરત પોલીસ કમિશનરની
કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ
વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ
અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક
કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.
રાજકોટમાં
શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમા ઝા ના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર, રામનાથપરા, ભગવતીપરા,
સોનીબજાર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું જેમાં ગેરકાયદેસર રીતે વસતા
પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની ઓળખ મેળવવા શંકાસ્પદ લોકોના તેમજ બહારગામથી રાજકોટમાં
વસવાટ કરતાં લોકોના આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તપાસવા ધમધમાટ આદર્યો
હતો. જો કે, હજુ સુધી પોલીસે કુલ કેટલા લોકોની તપાસ કરી છે તે આંકડો ગુપ્ત રાખવામાં
આવ્યો છે. એ ડિવિઝન પોલીસે રામનાથપરામાં રહેતા 11 શકમંદોને ઉઠાવ્યાં હતાં. જૂનાઘગઢ
પોલીસે પણ ઓદ્યોગિક એકમો સહિતના સ્થળોએ બાંગ્લાદેશીઓની શોધખોળ કરી હતી. આ ઉપરાંત ભાવનગર
પોલીસે પણ આ મુદ્દે કાર્યવાહી કરી હતી જો કે, પગલા લઈ શકાય તેવું કંઈ મળ્યું ન હતું.
ગૃહ
મંત્રીના વિસ્તારમાં અને અમદાવાદમાંથી બાંગ્લાદેશીઓ કેમ પકડાયા ? કોંગ્રેસ
અમદાવાદ,
તા.26: ગુજરાતમાં પહેલગાવ આતંકવાદી હુમલા બાદ બાંગ્લાદેશીઓ પર તવાઇ શરૂ કરવામાં આવી
છે ત્યારે આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ મૂકતા જણાવ્યું
કે, કોઇપણ દેશ પોતાના દેશમાં ગેરકાનૂની રીતે રહેતા અન્ય દેશના નાગરિકોને હાંકી કાઢવાનો
અધિકાર છે. ભાજપનું શાસન આ માટે જવાબદાર છે, છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપ સરકાર
અને 30 વર્ષથી ગુજરાતમાં સરકારનું શાસન છે. છતાં ગૃહમંત્રીના વિસ્તારમાં અને અમદાવાદમાંથી
બાંગ્લાદેશીઓ કેમ પકડાયા છે ? ક્યાં તંત્રી અને સંત્રીની રહેમ નજર હેઠળ આ લોકો અહીં
વસવાટ કરી રહ્યાં હતાં.
ગુજરાત
કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યું કે, બાંગ્લાદેશીઓને આધાર પુરાવા કોણે આપ્યાં
અને તેઓને ડોકયુમેન્ટ મળી ગયા. ફેસ સેવિંગ દૃશ્યો ઉભા કરીને સરકાર બચવાનો પ્રયાસ કરે
છે. ભાજપ સરકારે પોતે સ્વીકારવું જોઇએ ગેરકાયદેસર રીતિ વસતા લોકોની જવાબદારી ક્યારે
સરકાર સ્વીકારશે.