આજે
રાજ્યમાં ફક્ત છ તાલુકાઓમાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો
અમદાવાદ,
તા. 17: સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મનેઘરાજાએ બ્રેક લીધોઓ હોય તેવું વાતાવરણ જોવા મળી
રહયું છે. વરસાદી વાતાવરણ વચ્ચે કયારેક કોઇ જગ્યાએ ઝાપટા વરસી રહ્યા છે ત્યારે આગામી
ચાર દિવસ છુટાછવાટા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ 30-40
કીમીની રહેવાની શકયતા સેવાઇ રહી છે.
હવામાન
વિભાગે છુટા છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. તેમાં મુખ્યત્વે બનાસકાંઠા, પાટણ,
મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર;
દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ,
સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ
જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,
મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. દરમિયાનમાં આજે
પણ રાજ્યમાં ફક્ત છ તાલુકામાં એક ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો હતો.