રાજાશાહી
સમર્થકોનું તોફાની પ્રદર્શન : અનેક પોલીસકર્મી ઘાયલ : અશ્રુવાયુ અને રબ્બરનાં ગોળીબારમાં
અનેક દેખાવકારો ઘાયલ : અનેક વિસ્તારમાં કર્ફ્યુ : સેનાને પણ ઉતારવી પડી
કાઠમંડુ,
તા.28: નેપાળમાં રાજશાહીની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્રની માગ સાથે માર્ગો ઉપર ઉતરી
આવેલા પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી હતી. જેમાં પોલીસે
અશ્રુવાયુનાં ગોળા અને રબ્બરની ગોળીનો મારો પણ ચલાવ્યો હતો. આ તોફાની ઘર્ષણમાં અનેક
પોલીસકર્મીઓ અને દેખાવકારો ઘાયલ થયા હતાં. કાઠમંડુમાં આનાં હિસાબે કાયદો-વ્યવસ્થાને
વધુ કથળતી રોકવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને ટિકુને, સિનામંગલ અને કોટેશ્વર
ક્ષેત્રમાં કર્ફ્યુ લાદી દીધો હતો. તનાવ એટલી હદે વધી ગયો હતો કે, નેપાળની સેનાને પણ
સડકો ઉપર ઉતરી દેવી પડી હતી. કાઠમંડુના તિનકુનેમાં વિરોધીઓએ એક ઇમારતમાં તોડફોડ કરી
અને આગ લગાવી હતી. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો જેના જવાબમાં સુરક્ષા
કર્મચારીઓએ અશ્રુવાયુના શેલ છોડવા પડ્યા હતા. આ ઘટનામાં એક યુવાન ઘાયલ થયો હોવાનું
અહેવાલોમાં જણાવવામા આવ્યું હતું.
આ આંદોલનમાં
40થી વધુ નેપાળી સંગઠનોએ ભાગ લીધો હતો. દેઆવકારો ‘રાજા આવો, દેશ બચાવો’, ‘ભ્રષ્ટ સરકાર
મુર્દાબાદ’ અને ‘અમને રાજાશાહી પાછી જોઈઅ’ જેવા નારા લગાવી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ
સરકારને એક અઠવાડિયાનું આખરીનામું આપતાં કહ્યું કે જે તેમની માંગણીઓ પર કાર્યવાહી નહીં
કરવામાં આવે તો વધુ હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
નેપાળના
ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્રએ 19 ફેબ્રુઆરીના
નેપાળી પ્રજાતંત્ર દિવસ નિમિત્તે લોકો પાસેથી સમર્થન માંગ્યું હતું. ત્યારથી,
દેશમાં ‘રાજા લાવો, દેશ બચાવો’ આંદોલનની તૈયારીઓ ચાલી રહી હતી.
નેપાળના
ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પર 1 જૂન, 2001ના નારાયણહિતિ હત્યાકાંડમાં તેમના પરિવારના
સભ્યોની હત્યા કરવાનો આરોપ છે. આ ઘટનામાં રાજા વીરેન્દ્ર, રાણી ઐશ્વર્યા સહિત રાજવી
પરિવારના 9 સભ્યોનાં મોત થયાં હતાં.