• રવિવાર, 19 મે, 2024

અવસાન નોંધ

જામનગર : સ્વ. હીરાલાલ મોતીચંદ મહેતાના પુત્ર, જયરાજભાઈ (ઉં.71) તે ભારતીબેનના પતિ, હરીશભાઇ (એચ.એચ. મહેતા)ના નાનાભાઈ, ચંદનબેનના દિયર, ભાવેશ, રવિના કાકા, સ્વ. ખુશાલચંદ સોમચંદ વારિયાના જમાઈનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સવારે 10 કલાકે મોટા ઉપાશ્રય લાલબાગ સામે, ચાંદી બજાર જામનગર છે.

મોરબી : ચંદુભાઈ ભગવાનજીભાઈ ઠેસિયા તે સાગરના પિતાશ્રી, ભરતભાઈના ભાઈનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, બ્લોક નં.702, શિવાલય એપાર્ટમેન્ટ, નવી સેવા સદન શેરી પાછળ, રૂષભનગર, મોરબી છે.

રાજકોટ : સ્વ.સુરેશભાઈ છગનભાઈ શર્માનાં પત્ની દયાબેન (ઉં.89) તે રમેશભાઈ, જયેશભાઈ, કમલેશભાઈ, કલ્પનાબેન તથા સ્વ.મધુબેનનાં માતુશ્રીનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, અમૃતઘાયલ હોલ, એસએનકે સ્કૂલની પાછળ, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે. મોસાળ પક્ષનું બેસણું સાથે છે.

જૂનાગઢ: તુલસીદાસ જગજીવન બુદ્ધદેવ (ઉં.71) તે હિરેનભાઈ, નીશાબેન, ચેતનાબેન, રૂપલબેનના પિતા, તે મનસુખભાઈ અને વૃંદાવનભાઈ રાજાણીના બનેવીનું તા.5ના અવસાન થયું છે. બેસણું, સાદડી તા.6ના તેમનાં નિવાસસ્થાન, મારુતિ પાર્ક, જૂનાગઢ ખાતે છે.

અમરેલી: પ્રતાપરાય દેવચંદભાઈ જોગી (ઉં.83) તે સ્વ.મહેશભાઈ, ઉમેશભાઈ, હિતેશભાઈના પિતા, તે સિદ્ધાર્થના દાદાનું તા.5ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સાંજે 5થી 7, ખત્રીવાડ, જૈન દેરાસર પાસે, અમરેલી છે.

જૂનાગઢ: સ્વ.વાલજીભાઈ લાલજીભાઈ પાબારી (ભણગોર)ના પુત્ર ભગવાનજીભાઈ (નાગપુર)(ઉં.80) તે હિતેશભાઈ (નાગપુર), જયશ્રીબેન જયેશકુમાર કાનાબાર (જૂનાગઢ), હીનાબેન હરેશકુમાર તન્ના (સુરત)ના પિતાશ્રી, તે ધીરજભાઈ (રાજકોટ)ના મોટાભાઈ, તે ચિરાગના દાદાનું તા.5ના જૂનાગઢમાં અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સાંજે 5થી 6, ટીંબાવાડી, પટેલ સમાજ સામેની ગલી, નક્ષત્ર એપાર્ટમેન્ટની બાજુમાં, પટેલ કોલોની, બ્લોક નં.17/01 જૂનાગઢ છે.

સાવરકુંડલા : વાંઝા દરજી ભરતભાઈ મગનભાઈ વાજા (ઉં.59) તે સ્વ.મગનભાઈ જેઠાભાઈ વાજાના પુત્ર, તે સ્વ.અમૃતલાલના ભાઈ, તે સરલાબેનના પતિ, તે હર્ષ અને ભૂમિબેન પરમાર (વડોદરા)ના પિતાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, તેમનાં નિવાસસ્થાન શિવાજી નગર, શેરી નં.4,

 

સાવરકુંડલા છે.

સાવરકુંડલા: હીનાબેન ગુણવંતભાઈ દોશી (ઉં.67) તે ગુણવંતભાઈ તારાચંદભાઈ દોશીનાં પત્ની, તે વૈશાલી તેજસકુમાર પતીરા, નેહા નિતેશકુમાર કોઠારી, ચાંદની રઘુવીરભાઈ પીઠડિયા, ઈશાની પીયૂષકુમાર પરમારનાં માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના સવારે 10થી 12, કમાબાપા દોશી વાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: વિજયાબેન હરિલાલ જોષી (ઉં.76) તે શરદભાઈ, વિપુલભાઈ, રાજેશભાઈ, ચેતનભાઈનાં માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 6, પરશુરામ વળી ગર્લ્સ સ્કૂલની બાજુમાં, સાવરકુંડલા છે.

જામનગર: મૂળ મોરબી હાલ જામનગરના રમેશચંદ્ર ગીરધરલાલ વાઘેલા (ઉં.76) તે વ્રજલાલ ગીરધરલાલ વાઘેલાના મોટાભાઈ, તે હિમાંશુભાઈ, મિતલબેન, દર્શનાબેનના પિતાશ્રી, તે નરેશકુમાર ભટ્ટી, નિલેશભાઈ બગથરિયાના સસરાનું તા.4ના અવસાન થયું છે. બેસણું તા.6ના સાંજે 4થી 5, લક્ષ્મીનારાયણ વાળંદ જ્ઞાતિ સંસ્થા, પંચેશ્વર ટાવર પાસે, જામનગર છે.

 બગસરા: સ્વ. પુરુષોત્તમભાઈ  લાલજીભાઈ ગોંધિયાનાં પત્ની નિર્મળાબેન (ઉં.85) તે કાંતિભાઈ, નિતિનભાઈ, ઉષાબેન હિતેશકુમાર પલાણ (રાજકોટ)નાં માતુશ્રી, તે સ્વ.ભીખુભાઈ મથુરાદાસ રૂપારેલિયાનાં મોટા બેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું-ઉઠમણું તા.6ના બપોરના 4થી 6, લોહાણા મહાજન વાડી, બંગલી ચોક, બગસરા છે. પિયર પક્ષની સાદડી સાથે છે.

બાંકોડી: સ્વ.તુલસીદાસ મોરારજી દાવડાનાં પત્ની તારાબેન (ઉં.90) તે લીલાધરભાઈ, દિનેશભાઈ, કિશોરભાઈ, જગદીશભાઈ, સ્વ.હંસાબેન અમૃતલાલ સોનૈયા, નયનાબેન જમનાદાસ સામાણીનાં માતુશ્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના બપોરે 3-30થી 4, બાંકોડી મહાજન સમાજવાડી, બાંકોડી મોસાળપક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: બ્રહ્મક્ષત્રિય જયંતિલાલ ગોરધનદાસ મણીઆરનાં પુત્રવધૂ હંસાબેન (હિના)(ઉં.47) તે કેતનભાઈનાં પત્ની, તે દર્શન, યામીનીનાં માતુશ્રી, તે સમીરભાઈ, નિલેશભાઈનાં ભાભી, તે જામનગર નિવાસી મહેન્દ્રભાઈ મુલચંદભાઈ નિર્મલની દીકરીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી તા.6ના સાંજે 5-30 કલાકે, શીતળા માતાજીનું મંદિર, પટેલવાડી સામેની શેરી, ભાવનગર રોડ, રાજકોટ છે.

પોરબંદર: મણીલાલ લીલાધર દત્તાણી (ઉં.87) તે દીપકભાઈ (રાજકોટ), સંદિપભાઈ, જ્યોતિબેન રૂપારેલિયા (અમરેલી), ભાવનાબેન રાજાણી (જામનગર), રૂપાબેન રૂઘાણીના પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.6ના 4-15થી 4-45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલમાં ભાઈ-બહેનોની

સંયુક્ત છે.

રાજકોટ: અનસુયાબેન વિપીનભાઈ સંપટ (ઉં.74) તે સ્વ.વિપીનભાઈ વિઠ્ઠલભાઈ સંપટ (મુંબઈ)નાં પત્ની, તે સ્વ.જમનાદાસ આશર (મોરબી)નાં પુત્રી, તે પીયૂષભાઈ સંપટ (હાલ રાજકોટ), સ્વ.દિપેશભાઈ સંપટ (મુંબઈ)નાં માતુશ્રી, તે બિંદુબેન પીયૂષભાઈ સંપટનાં સાસુ, તે જશ અને રિયાનાં દાદીનું તા.4ના અવસાન થયું છે. ઉઠમણું તા.6ના સાંજે 5-30 વાગ્યે કાઠિયાવાડ ભાટીયા, વિદ્યાર્થી ભવન, રેલવે જંક્શન સામે, રાજકોટ છે.

ધરવાળા, તા.ઉમરાળા : ક્રિષ્ણાબા (પાંચીવાળા)ગોહિલ (ઉં.88) તે સ્વ.હરિચન્દ્રસિંહ સરદારસિંહ ગોહિલનાં પત્ની, તે બળવંતસિંહ (મહેતા), સુખદેવસિંહ, રમણીકબા (હાડાટોડા), હેતુબા (નાનીમારડ), સમીષ્ઠાબા (મીઠાપુર), મીનાબા, આશાબા (કંથારિયા)નાં માતુશ્રી, તે ભરતસિંહ, મનહરસિંહ, જગદીશસિંહનાં ભાભી, તે બળદેવસિંહ, દેવેન્દ્રસિંહ, નિર્મળસિંહ, અરવિંદસિંહ, અર્જુનસિંહ, ઘનશ્યામસિંહનાં કાકી, તે તખતસિંહ, મહાવીરસિંહ, પ્રદ્યુમ્નસિંહ, પ્રહલાદસિંહનાં ભાભુ, તે ક્રિપાલસિંહ, ઓમદેવસિંહ, પરિક્ષીતસિંહ, જદુવિરસિંહ, દિવ્યરાજસિંહ, અભયસિંહ, હરિરાજસિંહ, તિર્થરાજસિંહ, ઈન્દ્રસિંહનાં દાદીનું તા.5ના અવસાન થયું છે. બેસણું ધરવાળા રાજપૂત સમાજની ડેલીએ તા.6, 9, 10, 11, 13ના રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક