• રવિવાર, 04 મે, 2025

પાંચ વર્ષે શરૂ થશે

કૈલાસ - માનસરોવર યાત્રા

કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી ચીને પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે પણ તે પહેલાં ભારત સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી છે. અલબત્ત, આ ‘શરૂઆત’ કૈલાસ-માનસરોવરની યાત્રાના માર્ગ ખોલવાથી થઈ રહી છે. ગયા અૉક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે મોદીએ કૈલાસ-માનસરોવરની યાત્રા ભારત માટે શ્રદ્ધાનો મુદ્દો છે એમ જણાવ્યું હતું તેનું આ પરિણામ છે. અલબત્ત, હિંદી-ચીની ભાઈ-ભાઈ પોકારવાને હજુ વાર છે! આગળની યાત્રાનો ‘માર્ગ’ પાકિસ્તાન સાથેના સંબંધ - ઉપર આધાર રાખે છે.

કૈલાસ યાત્રામાં સહકાર આપે તો આવકાર્ય છે. કોટાના અને ગાલવાન ખાતે બાથંબાથીના કારણે પાંચ વર્ષના અંતરાળ પછી હવે - આગામી જૂનથી અૉગસ્ટ દરમિયાન યાત્રાળુઓની ટુકડીઓમાં જઈ શકશે.

પણ ચીનનાં બેવડાં ધોરણ છે. એક બાજુ ભારત સાથે સંબંધ સુધારવા માગે છે અને બીજી બાજુ પાકિસ્તાન - પહેલગામ હુમલાની ‘તટસ્થ’ તપાસની માગણી કરી તેને પણ ટેકો આપે છે. અલબત્ત, આ શાબ્દિક - ટેકો છતાં ભારત સાવધાન છે.

ઇ-પેપરના નવા શુલ્ક