કૈલાસ - માનસરોવર યાત્રા
કાશ્મીરમાં
આતંકવાદી હુમલા પછી ચીને પાકિસ્તાનને ટેકો આપવાની જાહેરાત કરી છે પણ તે પહેલાં ભારત
સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી છે. અલબત્ત, આ ‘શરૂઆત’ કૈલાસ-માનસરોવરની યાત્રાના માર્ગ
ખોલવાથી થઈ રહી છે. ગયા અૉક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી
જિનપિંગની મુલાકાત વખતે મોદીએ કૈલાસ-માનસરોવરની યાત્રા ભારત માટે શ્રદ્ધાનો મુદ્દો
છે એમ જણાવ્યું હતું તેનું આ પરિણામ છે. અલબત્ત, હિંદી-ચીની ભાઈ-ભાઈ પોકારવાને હજુ
વાર છે! આગળની યાત્રાનો ‘માર્ગ’ પાકિસ્તાન સાથેના સંબંધ - ઉપર આધાર રાખે છે.
કૈલાસ
યાત્રામાં સહકાર આપે તો આવકાર્ય છે. કોટાના અને ગાલવાન ખાતે બાથંબાથીના કારણે પાંચ
વર્ષના અંતરાળ પછી હવે - આગામી જૂનથી અૉગસ્ટ દરમિયાન યાત્રાળુઓની ટુકડીઓમાં જઈ શકશે.
પણ
ચીનનાં બેવડાં ધોરણ છે. એક બાજુ ભારત સાથે સંબંધ સુધારવા માગે છે અને બીજી બાજુ પાકિસ્તાન
- પહેલગામ હુમલાની ‘તટસ્થ’ તપાસની માગણી કરી તેને પણ ટેકો આપે છે. અલબત્ત, આ શાબ્દિક
- ટેકો છતાં ભારત સાવધાન છે.