• સોમવાર, 20 મે, 2024

વર્લ્ડ કપનો ફાઇનલ ભારત-વિન્ડિઝ વચ્ચે રમાય તેવી લારાની લાગણી

નવી દિલ્હી તા.8: આવતા મહિને રમાનાર ટી-20 વર્લ્ડ કપના ફાઇનલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટકકર થાય તેવું મહાન પૂર્વ કેરેબિયન ક્રિકેટર બ્રાયન લારા ઇચ્છે છે. લારાએ એમ પણ કહ્યંy કે ભારત તરફથી નંબર ત્રણ પર વિરાટ કોહલીએ નહીં, સૂર્યકુમાર યાદવે બેટિંગ કરવું જોઇએ. લારાનું માનવું છે કે ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો 2007ની પણ ભરપાઇ થઇ જશે. એ વખતના વન ડે વિશ્વ કપમાં ભારત ગ્રુપ સ્ટેજમાં હારીને બહાર થયું હતું. ભારતીય ટીમના બહાર થવાથી વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડને ઘણું નુકસાન થયું હતું.

લારાએ એક મુલાકાતમાં જણાવ્યું કે મારી તો સલાહ છે કે સૂર્યકુમાર વનડાઉનમાં ઉતરે. તે ટી-20 ક્રિકેટનો મહાનત્તમ બેટસમેન છે. તેના જલ્દીથી ક્રિઝ પર આવવાથી ભારતીય ટીમને ફાયદો થશે. લારાનું કહેવું છે કે વેસ્ટ ઇન્ડિઝ ટીમને ઘરેલુ હાલતનો જરૂર ફાયદો મળશે. ભારત અને વિન્ડિઝ ટીમની ફાઇનલમાં ટકકર થઇ શકે છે. ભારતીય ટીમમાં ચાર સ્પિનરની પસંદગી પર લારાએ જણાવ્યું કે આ વિશે હું કાંઇ કહેવા માંગતો નથી. બસ મને ખુશી એ છે કે ચહલ ટીમમાં છે. તે ફકત આઇપીએલ સ્ટાર નથી, પણ મગજ લગાવીને બોલિંગ કરે છે. કોહલીએ વિશે લારાએ કહ્યંy કે કોઇ ટીમ તેના જેવા ખેલાડીને ઇલેવનમાંથી પડતો મૂકે નહીં. તેની હાજરી જ હરીફ ટીમ પર દબાણ વધારે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં મદરેસામાં સરવે માટે ગયેલા આચાર્ય પર હુમલો કરનારા બેની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચનું દરિયાપુરની સૈયદ સુલતાના મસ્જિદમાં સર્ચ ઓપરેશન May 20, Mon, 2024