• સોમવાર, 20 મે, 2024

માધવપુરમાં વેપારીને દાઢી કરાવવી દોઢ લાખમાં પડી !

પોરબંદર, તા.8: માધવપુરમાં સોની વેપારી દુકાનને આગડિયો મારી દાઠી કરાવવા ગયા એ દરમિયાન તસ્કરોએ દોઢ લાખના દાગીના ચોરી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ધોબીવાડાના નાંકે રહેતા નટુભાઈ ઘેલાભાઈ નાંઢા નામના 71 વર્ષના વૃદ્ધ વેપારીની જ્વેલરીની દુકાન મોટા ઝાપા પાસે આવેલી છે. તેઓ તા.24-4 ના સાંજે પાંચેક વાગ્યે દુકાનના દરવાજાને તાળું માર્યા વિના થોડે દૂર આવેલી વાણંદની દુકાને દાઢી કરાવવા ગયા હતા. પરત આવી જોયું તો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. દુકાનના કાઉન્ટરમાં રાખેલી સ્ટીલની પેટી ગાયબ થઈ ગઈ હતી. તેમાં સોનાની બૂટી, સોનાની ફેન્સી બાલી, બચ્ચા, વીંટી, ઓમકાર, જેન્સ-લેડીઝ વીંટી, સોનાના, દાણા સહિત એક લાખ ચોપન હજારના દાગીના ચોરાઈ ગયા હોવાથી અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બે માથાભારે શખસ પાસામાં પુરાયા: પોરબંદરના રાવલિયા પ્લોટમાં રહેતા સાગર ઉર્ફે નવાબ પરબત ઉર્ફે નવાબ બોખિરિયા નામના 25 વર્ષના ઈસમને વિવિધ ગુના સબબ પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવાયો છે. આ સાથે દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા ભૂપત વશાજી ડાભી (ઉં.વ.25)ને પણ પાસા હેઠળ સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક