• રવિવાર, 01 જૂન, 2025

ટીમ ઇન્ડિયાના નવા કેપ્ટન પરથી શનિવારે પરદો હટશે

ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટેસ્ટ ટીમ પણ જાહેર થશે

મુંબઇ તા.21: રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ બાદ બીસીસીઆઇ ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચ ટેસ્ટ શ્રેણીની ટીમ અને કેપ્ટનની પસંદગી માટે મનોમંથન કરી રહી છે. નવો કપ્તાન શુભમન ગિલ કે જસપ્રિત બુમરાહ કોણ હશે ? તેના પર પાછલા કેટલાક સમયથી સસ્પેન્સ પ્રવર્તી રહ્યંy છે. જયારે રોહિત અને વિરાટની જગ્યા કોણ લેશે ? તે પસંદગીકારો સામે મોટો સવાલ છે.

હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ઇંગ્લેન્ડ પ્રવાસની ભારતીય ટીમ અને નવા કપ્તાન પરથી 24 મે-શનિવારે પરદો હટશે. શનિવારે મુખ્ય પસંદગીકાર અજીત અગરકર, કોચ ગૌતમ ગંભીર અને અન્ય પસંદગીકારોની બેઠક છે. આ બેઠક બાદ અગરકર મીડિયા સમક્ષ નવા કપ્તાન અને ભારતીય ટેસ્ટ ટીમની ઘોષણા કરશે.

હાલ ભારતીય ટીમના કેપ્ટનપદ માટે શુભમન ગિલ, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ અને ઋષભ પંતના નામની ચર્ચા ચાલી રહી છે. ગિલ 2પ વર્ષનો છે. આથી ભવિષ્યને ધ્યાને રાખીને તેને સુકાન મળી શકે છે. બુમરાહની ફિટનેસને ધ્યાને રાખીને તેને કેપ્ટનશીપ નહીં મળે તેવી અટકળો થઇ રહી છે, જો કે તે હજુ પણ કેપ્ટન તરીકેની પહેલી પસંદ હોવાના રિપોર્ટ છે. સુનિલ ગાવસ્કર અને રવિચંદ્રન અશ્વિન બુમરાહના નામની તરફેણ કરી ચૂકયા છે.

શનિવારે ભારતીય ટીમ પણ જાહેર થશે. તેમાં સાઇ સુદર્શ સહિતના કેટલાક નવા ચહેરા જોવા મળી શકે છે.

ઇ-પેપરના નવા શુલ્ક