પાંચ
બાળકનાં મૃત્યુ, 38થી વધુને ઈજા
ઈસ્લામાબાદ,
તા. 21 : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં શાળાની એક બસને નિશાન બનાવીને કરવામાં
આવેલા વિસ્ફોટમાં પાંચ બાળકના મૃત્યુ થયા હતા. જ્યારે 38 અન્ય લોકોને ઈજા પહોંચી હતી.
અધિકારીઓના કહેવા પ્રમાણે શાળાની બસને નિશાન બનાવીને આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ કરવામાં
આવ્યો હતો.
બલૂચિસ્તાનમાં
ડેપ્યુટી કમિશનર યાશિર ઈકબાલ દશ્તીના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે હુમલો ખુજદાર
જિલ્લામાં થયો હતો. આ ઉપરાંત ગૃહમંત્રી મોહસિન નકવીએ કહ્યું હતું કે, માસૂમ બાળકોને
નિશાન બનાવનારા આરોપીઓ કોઈપણ પ્રકારની નરમાશના હકદાર નથી. બસ જ્યારે ઝીરો પોઈન્ટે હતી
ત્યારે જ તેને નિશાન બનાવવામાં આવી હતી. હુમલામાં ઘાયલ લોકોને તાકીદે નજીકની હોસ્પીટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા હતા.