-દેશ
ચલાવવા નાણાં નથી : વિશ્વની ટોચની 4 બેંક પાસે ખોળો પાથર્યો
નવી
દિલ્હી, તા.ર1 : ખાવા ભલે ખિચડીનાય ફાંફા હોય પરંતુ ભારત સામે યુદ્ધ લડવા અને પરમાણું
બોમ્બની ધમકી આપતું પાકિસ્તાન ગમે ત્યારે દેવાળું ફૂંકે તેવી હાલત છે. પાકિસ્તાનનું
અર્થતંત્ર ચૌપટ થઈ ચૂકયું છે અને દેશ અબજો ડોલરના દેણાંમાં ડૂબેલો છે. સ્ટેટ બેંક ઓફ
પાકિસ્તાન પાસે માત્ર 3 મહિના ચાલે તેટલું 14 અબજ ડોલરનું રિઝર્વ છે.
ભારત
સાથે સશત્ર તણાવ બાદ પાકિસ્તાન ફરી એકવાર ગાઢ આર્થિક સંકટમાં સપડાયું છે. આર્થિક વિકાસના
લક્ષ્ય પાછળ રહી ગયા છે અને વિદેશથી જે લોન-દાન મળે તેમાંથી દેશનું ગાડું ગબડી રહયું
છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોશ પાસેથી પાકિસ્તાને જંગી લોન લીધાને ગણતરીના દિવસો થયા
છે ત્યાં 4.9 અબજ ડોલરની વાણિજયક લોન લેવાની હિલચાલ શરુ કરાઈ છે. અ ાઈએમએફએ લોન માટે
અનેક આકરી શરતો લાદતાં પાકિસ્તાનની મુશ્કેલી વધી છે. નવી લોન લેવા પાકિસ્તાન સરકારે
4 ટોચની આંતરરાષ્ટ્રીય બેંક આઈસીબીસી-ચીન, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, દુબઈ ઈસ્લામિક બેંક
અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસે ખોળો પાથર્યો છે.
મીડિયા
રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનનો જીડીપી ગ્રોથ દર 3.6 ટકાના અનુમાનની તુલનાએ માત્ર ર.68
ટકા રહયો છે જે આર્થિક માઠી હાલતનો સંકેત છે. પાકિસ્તાન નેશનલ એકાઉન્ટસ કમીટિની બેઠકમાં
જે આંકડા સામે આવ્યા છે તે મુજબ ઔદ્યોગિક ક્ષેત્રમાં 1.14 ટકાનો ઘટાડો થયો છે. કૃષિ
ક્ષેત્રનો ગ્રોથ માત્ર 1.8 ટકા રહયો છે. માત્ર સેવા ક્ષેત્રનું પ્રદર્શન સારુ રહયું
છે જે 39 ટકા છે. દેશનું કુલ આર્થિક આઉટપુટ 411 અબજ ડોલર રહયું જે પ્રતિ વ્યક્તિ આવક
18ર4 ડોલર દર્શાવે છે.
--------------
‘આતંકને
જન્મ આપનારૂં પાકિસ્તાન પીડિત હોવાનો દેખાડો ન કરે’
WHOમાં ભારતે પાકિસ્તાનને આડેહાથ
લીધું : જુઠ્ઠાણા મુદ્દે આપ્યો આકરો સંદેશ
નવી
દિલ્હી, તા. 21 : વિશ્વ સ્વાસ્થય સંગઠન (ડબલ્યુએચઓ)ના મંચ ઉપરથી ભારતે પાકિસ્તાનને
આતંકવાદ અને ખોટા પ્રચારના મુદ્દે આકરો જવાબ આપ્યો છે. ભારતીય રાજદૂત અનુપમા સિંહે
પાકિસ્તાન ઉપર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે પાકિસ્તાન આજે પણ જેહાદી આતંકવાદનું
કેન્દ્ર બનેલું છે. પાકિસ્તાન આતંકવાદને પાળે છે, પાકિસ્તાન આતંકવાદને જન્મ આપે છે,
તે પીડિતના રૂપમાં દેખાડો કરી શકે નહી. અનુપમા
સિંહે કહ્યું હતું કે આતંકી હુમલાના પ્રાયોજક અને આયોજક સીધા પાકિસ્તાનની ધરતી ઉપરથી
કામ કરે છે. પાકિસ્તાનને અનુપમાસિંહે આડેહાથ લીધું હતું કારણ કે પાકિસ્તાન ડબલ્યુએચઓ
જેવા વૈશ્વિક મંચનો ઉપયોગ ખોટા અને વિક્ટિમ કાર્ડ રમવા માટે કરે છે. ભારતીય પ્રતિનિધિએ
સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન વારંવાર સિંધૂ જળ સંધિ અંગે ખોટા પ્રચાર કરે છે. જ્યારે
ભારતે સંધિનું હંમેશા પાલન કર્યું છે.
--------------
3 મુસ્લિમ
દેશ બન્યા ભારત માટે ઢાલ
કાશ્મીર
મુદ્દે ઈંઘઈમાં પ્રસ્તાવનો નાપાક પ્રયાસ નિષ્ફળ
નવી
દિલ્હી તા.ર1 : આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત વિરોધી પાકિસ્તાનની હરકતને 3 મુસ્લિમ દેશે
ભારત માટે ઢાલ બની નિષ્ફળ બનાવી છે. ભારત વિરુદ્ધ છાશવારે પાકિસ્તાન મુસ્લિમ દેશોને
ઉશ્કેરવા પ્રયાસ કરે છે પરંતુ આ વખતે પાકિસ્તાનની કારી ફાવી નથી. પ7 મુસ્લિમ દેશના
સંગઠન ઓઆઈસીની બેઠક ઈન્ડોનેશિયાના જકાર્તામાં યોજાઈ હતી જેમાં સામેલ પાકિસ્તાને ભારત
વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાકિસ્તાનના ભારત વિરોધી નાપાક
એજન્ડાને યજમાન ઈન્ડોનેશિયાએ જ નિષ્ફળ બનાવ્યો હતો. જેમાં તેને બહરીન અને ઈજીપ્તે સાથ
આપ્યો હતો. 1રમી મે ના રોજ યોજાયેલી ઓઆઈસીની બેઠકમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉછાળી
ભારતના વિરોધમાં એક પ્રસ્તાવ પસાર કરાવવાનો અટકચાળો કર્યો હતો.
પરંતુ
ઈન્ડોનેશિયા, બહરીન અને ઈજીપ્તના વિરોધથી પાકિસ્તાનનો હેતુ પુરો થયો ન હતો. બેઠકમાં
ઈઝરાયલ દ્વારા ગાઝા ઉપર સતત કરાઈ રહેલા હુમલાની આકરી નિંદા કરવામાં આવી હતી. ભારતના
વિરોધમાં મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને સાથ આપ્યો ન હતો. સંગઠને ન તો ભારતના વિરોધમાં
કોઈ નિંદા કરી છે. ઈન્ડોનેશિયા લાંબા સમયથી ભારતને અનુકૂળ સંબંધો સાચવી રહયું છે. તાજેતરમાં
ઈસ્લામિક સ્ટેટના બે આતંકી અબ્દુલ્લા ફૈઝ અને તલ્હા ખાનને ભારતને હવાલે કર્યા હતા.