• રવિવાર, 19 મે, 2024

જામકંડોરણામાં ખેડૂત દંપતીનો ગળાફાંસો ખાઈ આપઘાત બીમારીથી કંટાળી પગલું ભર્યાની આશંકા

ધોરાજી, તા.4 (ફૂલછાબ ન્યૂઝ): જામકંડોરણાનાં તળાવ પ્લોટ વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ દંપતી 1 છગનભાઈ નારદભાઈ ઉ.વ.70 એ પોતાના ઘરે બંને પતિ પત્ની દંપતીએ ગળેફાંસો ખાઈ લેતા બનાવ મામલે જામકંડોરણા પોલીસ મથક જાણ થતાં પોલીસ દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ મામલે જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઈ વિ.એન.ડોડીયાએ જણાવ્યું હતું કે, જામકંડોરણા ખાતે વૃદ્ધ દંપતીએ ગળેફાસો ખાઈ લેતા બનાવ અંગે જાણ થતાં પોલીસ દોડી જઈને મૃતક છગનભાઈ નાદરભાઈ ઉ.વ.70 તથા તેના પત્ની લીલાબેન છગનભાઈ ઉ.વ.70ના મૃતદેહોનું પીએમ કરાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વયોવૃદ્ધ દંપતી પૈકી લીલાબેન છગનભાઈને કેન્સરની બિમારી હતી તથા તેના પતિ છગનભાઈ પણ વયોવૃદ્ધ હોય બિમાર રહેતા હોય બિમારીથી કંટાળીને પગલુ ભર્યું હોવાનું મૃતક દંપતીના પુત્રોએ જણાવ્યું હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક