• રવિવાર, 01 જૂન, 2025

અમદાવાદમાં તા.26મીએ વડાપ્રધાન મોદીનો રોડ-શો તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અપાતો આખરી ઓપ

અમદાવાદ, તા. 20 : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદીનો રોડ શો તા.26ને સાંજે 6.30 કલાકે યોજાશે. એરપોર્ટ સરદાર પટેલ સ્ટેચ્યુથી ઈન્દિરા સર્કલ સુધી આયોજિત આ રોડ શો માં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમજ લોકો ઉપસ્થિત રહેશે.

નોંધનીય છે કે પાકિસ્તાન સામેની કાર્યવાહી બાદ વડાપ્રધાનના સ્વાગત માટે આ રોડ શો યોજવામાં આવી રહ્યો છે. એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી અલગ અલગ થીમ મુજબ ટેમ્બો અને સ્ટેજ વડાપ્રધાનના સ્વાગત માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનનું આગમન 26 મેએ સાંજે 6 વાગ્યે થશે ત્યારે હાલમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન 2 દિવસ ગુજરાતમાં રહેશે. તેઓ 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવશે.26 મેની રાત્રે વડાપ્રધાન એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે અને ત્યાં રાત્રીરોકાણ કરશે. બીજા દિવસ એટલે કે 27 મેના રોજ વડાપ્રધાન મોદી 3 કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી કચ્છ, દાહોદ અને ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઈને સ્થાનિક તંત્ર પણ એક્શન મોડમાં છે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને લઈને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બેઠક યોજી હતી. 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક