• રવિવાર, 01 જૂન, 2025

avshan nodh

ડોળાસા: ઉકાભાઈ કેશરભાઈ ડોડીયા (ઉ.66) તે ગોપાલભાઈ, રમેશભાઈ, હરેશભાઈ, જગદીશભાઈના પિતાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.22ના તેમના વાડીના નિવાસ સ્થાને છે.

બોટાદ: સ્થાનકવાસી જૈન પ્રશાંતભાઈ પ્રવિણચંદ્ર ગાંધી (ઉ.65) જલચંદ્ર પાનવાળા તે તુષારભાઈ અને ચંદ્રેશભાઈના પિતાશ્રી, હર્ષાબેન કિશોરભાઈ મહેતા (મહુવા), જયશ્રીબેન હર્ષદભાઈ વસાણી (બોટાદ)ના નાનાભાઈનું તા.18ના અવસાન થયું છે.

બોટાદ: રાજગોર બ્રાહ્મણ અક્ષય શૈલેષભાઈ માઢક તે વાડીલાલભાઈ ભીખાભાઈ માઢકના પૌત્ર, શૈલેષભાઈ વાડીલાલભાઈ માઢકના પુત્ર, કેતનભાઈના ભત્રીજા, અશોકભાઈ વિઠ્ઠલભાઈ જોષી (વિસાવદર)ના ભાણેજનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6, સમસ્ત બ્રહ્મ સમાજની વાડી, મસ્તરામ મંદિર પાસે, બોટાદ છે.

કોડીનાર: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ નરેશભાઈ હરિપ્રસાદ જોષી (પરિશ્રમ બેટરી)(ઉ.55) તે જીતેન્દ્રકુમાર હરિપ્રસાદ જોષીના નાનાભાઈ, સુજાનભાઈના પિતાશ્રીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.19ના સવારે 10 કલાકે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ બેસણું સાંજના 4 થી 6, બ્રહ્મપુરી કોડીનાર છે.

ભાવનગર: મર્હુમ ઉસ્માનભાઈ હાજી ફજુભાઈના દીકરા અયુબભાઈ ઉસ્માનભાઈ (ઈકબાલ બેકરી)નું તા.18નો ઈન્તેકાલ થયેલ છે. તે મર્હુમ અનવરભાઈ, અશરફભાઈ તથા અસ્લમભાઈ, શેહઝાદભાઇના વાલીદ, ફેસલભાઈ, રિયાજભાઈના કાકા, રફીકભાઈ રાઠોડ, સલીમભાઈ ખોખરના સાળા, મહંમદભાઈ ચૌહાણ (સાવરકુંડલા)ના જમાઈ, ચૌહાણ અકબરભાઈ, મુસ્તાકભાઈ, ઈમ્તિયાઝભાઈના બનેવી થાય. જિયારત-ચેહલુમ ભાઈઓની તા.19ને સોમવારે સવારે 8-30 કલાકે, ઈમામવાડા મસ્જીદ છે. બહેનોની બેઠી જિયારત, ચહલુમ વડવા બાપેસરાકુવા સિપાહી, જમાતખાના હોલમાં છે. હિન્દુ ભાઈઓ માટે બેસણું સાંજે 6 કલાકે શિતળા માની દેરી પાસે, બાનુ બેનની વાડી, જુની મસ્જિદ કુંભારવાળા પાસે છે.

સાવરકુંડલા: રાજાભાઇ (પી.ઓ.પી.વાળા)ના દીકરા મર્હૂમ શાહ મોહંમદ ઇસ્માઇલનું તા.16ના અવસાન થયું છે. હિન્દુ બેસણું તા.19ના સાંજે 4 થી 6 કલાકે તેમા નિવાસ સ્થાને કાપડીયા સોસાયટી,

સાવરકુંડલા છે.

સાવરકુંડલા:  રામજીભાઇ મોહનભાઇ પાથર (ઉ.65) નું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 કલાકે ગુર્જર સગર જ્ઞાતિ વાડી, સાવરકુંડલા છે.

સાવરકુંડલા: લાભુમા ડોસલભાઇ ખાચર (ભગત)નું તા.15ના અવસાન થયું છે. અંતિમ સંસ્મરણ બેઠક તા.19ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન આસોપાલવ સોસાયટી, હાથસણી રોડ, સાવરકુંડલા છે.

ગારિયાધાર: તળપદા કોળી ઝાલા વિનુભાઇ ભીમજીભાઇના માતા, સમજુબેન (ઉ.80) તે વિઠ્ઠલભાઇ, ભરતભાઇ, કેશુભાઇ અને નરેન્દ્રભાઇના કાકી, રાજુભાઇ, રમેશભાઇ, હરેશભાઇના મોટા બા, ચંદ્રેશભાઇ, વિજયભાઇ, જીતેન્દ્રભાઇ, રવિભાઇ, આશિષભાઇ અને ઉદયભાઇના દાદીનું તા.16ના અવસાન

થયું છે.

પોરબંદર: રમણીકલાલ મથુરાદાસ ભુપ્તા (ઉ.78) તે ધર્મેશભાઇ, કિશનભાઇ અને કમલેશભાઇ, બીજલબેન મનીષભાઇ દત્તાણીના પિતાશ્રીનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.19નાં 4-15 થી 4-45 લોહાણા મહાજનવાડીના પ્રાર્થના સભા હોલ ખાતે ભાઇ-બહેનોનું સંયુક્ત છે.

રાજકોટ: રણછોડભાઇ ગાંડુભાઇ કાકડીયા (ઉ.64) તે સ્વ. ગાંડુભાઇ કાકડીયાના પુત્ર (મુળ ડાંગરવાડા) હાલ રાજકોટ તે કાંતાબેના પતિ, પરાગ, વિપુલના પિતાશ્રી, મનીષાબેનના સસરા, યુગના દાદાનું તા.18ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ, રાજકોટ છે.

ભાવનગર: કિરણબેન ભરતભાઇ જોશી (ઉ.58) તે ભરતભાઇ ડી. જોશી (વકીલ)ના પત્ની, મીનાબેન મનોજકુમાર જોશી, ધ્રુવભાઇ, હિરેનભાઇના ભાભી, નિધીબેન યજ્ઞેશકુમાર વ્યાસ અને નુપુરબેન યશકુમાર પુરોહિતના માતુશ્રી, સ્વ ભગવાનજી કાળીદાસ ઉપાધ્યાય (જામનગર)ના દીકરી, ડો. પ્રકાશભાઇ, સ્વ. બકુલભાઇ, સ્વ. જગદીશભાઇના બહેનનું અવસાન થયું છે. સાદડી તા.19ના 4-30 થી 6-30 રામવાડી વિભાગ નં.4, ભાવનગર, સાસરી પક્ષ, પિયરપક્ષની સાદડી સાથે છે.

ઇ-પેપરના નવા શુલ્ક