એક સમયે ચેન્નઈને હોમગ્રાઉન્ડમાં હરાવવું મુશ્કેલ મનાતું : 2025ની સિઝનમાં બેંગલોરથી લઈને હૈદરાબાદે ચેપોકના કિલ્લે જીત મેળવી
નવી
દિલ્હી, તા. 26 : આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સનું કંગાળ પ્રદર્શન યથાવત છે. મહેન્દ્ર
સિંહ ધોનીની આગેવાનીની ટીમને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પણ પાંચ વિકેટે હારનો સામનો કરવો
પડયો છે. શુક્રવારે ચેન્નઈમાં રમાયેલા મુકાબલામાં હૈદરાબાદને જીત માટે 155 રનનો ટાર્ગેટ
મળ્યો હતો. જેને આઠ બોલ બાકી રહેતા પાર કરી લીધો હતો.
ચેન્નઈ
સામે તેના જ હોમગ્રાઉન્ડમાં હૈદરાબાદની આ પહેલી જીત હતી. આ પહેલા સનરાઈઝર્સે ચેપોકમાં
ચેન્નઈ સામે પાંચ મેચ ગુમાવ્યા હતા. ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડમાં હરાવવું કોઈપણ ટીમ
માટે મુશ્કેલ માનવામાં આવતું હતું. જો કે હવે સ્થિતિ અલગ બની છે. એવું લાગી રહ્યું
છે કે ટીમમાં હવે પહેલા જેવી વાત રહી નથી. હૈદરાબાદ પહેલા દિલ્હી અને બેંગલોરે ચેન્નઈના
કિલ્લા ઉપર જીત મેળવી હતી. બેગલોરે 17 વર્ષ બાદ ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડમાં હરાવ્યું
હતું. ઘરેલુ પરિસ્થિતિનો ભરપુર લાભ લેતા સીએસકેએ સીઝનની શરૂઆતમાં મુંબઈને ચાર વિકેટે
હરાવ્યું હતું. જો કે બાદમાં ટીમ ચેન્નઈમાં જ સતત ચાર મુકાબલા હારી ચુકી છે. કેકેઆર
સામેના મુકાબલામાં તો સીએસકેએ માત્ર 109 રન કર્યા હતા. જે ચેપોકમાં સીએસકેનો સૌથી નાનો
સ્કોર છે. આ ઉપરાંત એવું પહેલી વખત બન્યું છે કે કોઈ આઈપીએલ સિઝનમાં ચેન્નઈએ હોમગ્રાઉન્ડમાં
સતત ચાર મુકાબલા ગુમાવ્યા છે.
સીએસકેએ
ચેપકોમાં અત્યારસુધીમાં 80 મેચ રમ્યા છે. આ દરમિયાન 52 મેચમાં જીત મળી છે જ્યારે
28મા હારનો સામનો કરવો પડયો છે. વર્તમાન સિઝનમાં સીએસકે નવમાંથી સાતથ મેચમાં હાર મેળવી
ચૂકી છે. ચેન્નઈના માત્ર ચાર અંક છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના સ્થાને છે.