ભારત સરકારની એજન્સી દ્વારા ચેતવણી : ઓપરાટિંગ સિસ્ટમમાં ખામી
નવી
દિલ્હી, તા.7 : એન્ડ્રોઇડ સ્માર્ટફોનના વપરાશકારો માટે ભારત સરકારની એક એજન્સી તરફથી
ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ
(CERT-in) એ આપી છે. જે વર્ઝન માટે ચેતવણી
જારી કરવામાં આવી છે તેનો ઉપયોગ ભારત સહિત દુનિયાભરમાં કરોડો લોકો કરે છે.
એજન્સીએ
એન્ડ્રોઇડ ઓપરાટિંગ સિસ્ટમમાં કેટલીક નબળાઈઓ શોધી કાઢી હોવાના અહેવાલ છે. હુમલાખોરો
આ નબળાઈઓનો ઉપયોગ કરીને ડિવાઇસ પર મનસ્વી કોડ ચલાવી શકે છે, જે સંભવિત રીતે સ્માર્ટફોન
માટે ખતરો ઉભો કરી શકે છે. CERT-in અનુસાર, આ બગ એન્ડ્રોઇડ 13, 14, 15 અને 16 ને અસર
કરે છે. જેનો અર્થ એ છે કે લાખો સ્માર્ટફોન જોખમમાં છે કારણ કે એન્ડ્રોઇડ 16 એ નવીનતમ
સંસ્કરણ છે. મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ 14 અથવા 15 ચલાવતા સ્માર્ટફોન છે.
Pixel, Vivo, Oppo, Xiaomi, Realme, Motorola, OnePlus, અથવા Samsung સ્માર્ટ ફોનધારકો
એન્ડ્રોઇડ વર્ઝન ચલાવે છે તો સાવચેત રહેવું. એજન્સી અનુસાર Qualcomm, NVIDIA, Broadcom
અને Unisoc ઘટકોનો ઉપયોગ મોટાભાગના એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં થાય છે.