વેટિકન, તા. 26 : કેથોલિક ચર્ચના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર સન્માન અને ભાવુક માહોલમાં થયા હતા. શનિવારે પોપના અંતિમ સંસ્કાર વેટિકન સિટીમાં સ્થિત સેન્ટ પીટર્સ સ્કેવેરમાં થયા હતા. પુરી દુનિયાથી લગભગ 2 લાખ લોકો, જેમાં રાષ્ટ્રાધ્યક્ષ, શાહી પરિવારોના સભ્ય અને સામાન્ય શ્રદ્ધાળુ તેમાં સામેલ થયા હતા. તાબૂતને ઉપાડીને સેન્ટ પીટર્સ સ્કવેરમાં લાવતા જ ભીડે જોરદાર તાળીઓથી પોપને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી. પોપ ફ્રાન્સિસે પોતે સરળ સમાધિની ઈચ્છા વ્યક્ત કરી હતી એટલે તેમને વેટિકનમાં નહી પણ રોમના બહારના હિસ્સામાં આવેલા બેસિલિકામાં દફનાવવામાં આવશે.