નવી દિલ્હી, તા.ર4 : પહલગામમાં આતંકી હુમલા વચ્ચે ભારતની સરહદોની સુરક્ષા સામે સવાલ ઉઠયા છે તેવા સમયે અંતરિક્ષ એજન્સી ઈસરોએ દેશના સેટેલાઈટ પ્લાન અંગે ખુલાસો કર્યો છે. ઈસરો ચીફ અનુસાર આગામી 3 વર્ષમાં ભારત નવા 100થી 1પ0 સેટેલાઈટનો ઉમેરો કરશે. જેથી સરહદોની દેખરેખમાં મદદ મળશે.
અંતરિક્ષ
વિભાગના સચિવ નારાયણને કહ્યું કે વડાપ્રધાન મોદીએ અંતરિક્ષ ક્ષેત્રમાં સુધારનો પ્રસ્તાવ
મૂક્યો હતો જે હેઠળ અમે આ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને મંજૂરી આપી છે. હાલ ભારતની સરહદની
સુરક્ષા માટે પપ સેટેલાઈટ કાર્યરત છે પરંતુ આપણે એક એવો દેશ છીએ જેના 7પ00 કિમી લાંબા
દરિયા કિનારાની ર4 કલાક સુરક્ષા કરવાની હોય છે. જમીનની સરહદની સુરક્ષા માટે પણ વધુ
સેટેલાઈટની જરૂર છે. આમ પપ પુરતાં નથી.