જૂનાગઢ, તા.12: રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂધ્ધસિંહ જાડેજા જૂનાગઢની જેલમાં છે. ત્યારે તેને ગુજસીટોકના આરોપીઓ મળવા આવ્યાનો મૃતક અમિત ખૂંટના ભાઇ મનીષ ખૂંટે આક્ષેપ કર્યા છે. મનીષ ખૂંટે રાજ્યના જેલના વડાને પત્ર લખીને જૂનાગઢ જેલના અધિક્ષક દીપક ગોહેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે.
મૃતક અમિત ખૂંટના ભાઇએ આપેક્ષ
કર્યો છે કે, ‘અનિરૂધ્ધસિંહ જાડેજાને જેલમાં મોબાઇલ સહિતની સગવડ આપવામાં આવે છે. અનિરૂધ્ધસિંહ
જેલમાં રહી અમારા પરિવાર હુમલો કરાવશે ? અમિત ખૂંટ આપઘાત કેસમાં પુરાવા સાથે છેડછાડ
કરશે ? ગુજસીટોકના આરોપીઓ અનિરૂધ્ધસિંહને જેલમાં મળવા આવી રહ્યા છે. જેમાં યશપાલસિંહ
જાડેજા, જશપાલસિંહ જાડેજા (જામનગર) અને સોયબ નાગોરી સહિતના શખસોનો સમાવેશ થાય છે. વર્ષ
2018માં પણ જ્યારે અનિરૂધ્ધસિંહ જૂનાગઢ જેલમાં બંધ હતા. ત્યારે પણ તેઓ જેલમાંથી ગેરકાયદેસર
પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપ સાથે રાજ્યના જેલવડાને પત્ર લખ્યો છે.