પોરબંદર, તા.12: પોરબંદર નજીકના રાણા બોરડી ગામે સરકારી યોજનામાં થયેલા કથિત કૌભાંડની ફરિયાદમાં તપાસ કરનાર ટીડીઓ બેદરકારી દાખવી સરપંચને બચાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે ફરિયાદી મિશન માતૃભૂમિ દ્વારા કેન્દ્ર સરકારને ફરિયાદ થઈ છે.
મિશન માતૃભૂમિ દ્વારા થયેલ ફરિયાદમાં
આક્ષેપ સાથે માંગ કરવામાં આવી છે. રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામમાં ભ્રષ્ટાચાર મામલાને
સરપંચની સાથે જ અધિકારીઓ સરકારને ગેરમાર્ગે દોરીને અને સરકારી યોજનાઓ અને અન્ય કામોને
સરકારી યોજનાઓ તરીકે ગેરકાયદેસર રીતે રજૂ કરીને કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ તપાસમાં
મિશન માતૃભૂમિ ટીમ વતી ફરિયાદીઓએ તાલુકા વિકાસ અધિકારીને મૌખિક લેખીત અને ઈમેઈલ દ્વારા
ફરિયાદો કરી હતી. જો કે, તાલુકા વિકાસ અધિકારી એ સરપંચ અને તલાટીઓને બચાવવા માટે રાણા
બોરડીમાં મનરેગા કૌભાંડની તપાસમાં રાણા બોરડીમાં 451 જોબ કાર્ડ લાભાર્થીઓની કોઈ તપાસ
ન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, તાલુકા વિકાસ
અધિકારી એ બીજી વૃદ્ધાશ્રમ પેન્શન યોજના હેઠળ તપાસ હાથ ધરી હતી અને તે અહેવાલને ઉલટાવીને
ગેરકાયદેસર રીતે મનરેગા રીપોર્ટ સંબંધિત ઉચ્ચ અધિકારીઓને મોકલ્યો હતો.
રાણા બોરડી ગામમાં કરોડો રૂપિયાનો
કથિત ભ્રષ્ટાચાર થયો છે અને તેના પુરાવા પણ તપાસ કમીટી અને લગત અધિકારીઓને આપ્યા હતા
અને કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને દ્વારા આ મામલાની તપાસ ચાલી રહી છે. આ મામલાની ગંભીરતા
અને સ્થાનિક લોકોને અંધારામાં રાખીને અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં સરપંચની સંડોવણીને
ધ્યાનમાં રાખીને અમે ગ્રામ પંચાયતના તમામ રેકોર્ડ દસ્તાવેજો અને પુરાવા તાત્કાલિક જપ્ત
કરવાની માંગ કરી હતી.