• રવિવાર, 09 નવેમ્બર, 2025

રાહુલ ગાંધી જવાબ આપે : દેશની માફી માગશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં વિકસિત ભારતની છડી પોકારી છે. અદ્યતન વિમાનમથક અને મુંબઈકર માટે આવાગમન સરળ બનાવતી યોજનાના શુભારંભ સાથે એમણે વિરોધીઓ દ્વારા થતી ટીકાનો સણસણતો જવાબ આપ્યો છે. પહલગામમાં આતંકી હુમલો અને હત્યાકાંડ પછી

અૉપરેશન સિંદૂરની ટીકા કરીને સફળતા અંગે શંકા વ્યક્ત કરનારા રાહુલ ગાંધીએ ભારતના વડા પ્રધાન કમજોર - નબળા છે - અમેરિકાના દબાણથી યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપનો જવાબ આપવાનો મોકો મોદીને મુંબઈમાં મળ્યો.  વર્ષ 2008માં મુંબઈ ઉપર આતંકી આક્રમણ થયું તે પછી પાકિસ્તાન ઉપર હુમલો કરવા ભારતીય સેના તૈયાર હતી પણ કૉંગ્રેસી સરકારે વિદેશી (અમેરિકા)ના દબાણથી ભારતીય સેનાને મંજૂરી આપી નહીં - કૉંગ્રેસી સરકાર કમજોર હતી કે નહીં? વિદેશી દબાણ સામે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ ઝૂકી ગયા કે કૉંગ્રેસનાં સર્વોચ્ચ નેતા શ્રીમતી સોનિયા ગાંધીએ ‘જી હજૂર’ કહ્યું? મોદીએ હવે પડકાર કર્યો છે - કૉંગ્રેસ - અર્થાત્ રાહુલ ગાંધી - જવાબ આપે - દેશ જાણવા માગે છે. - વોટચોરીના ગાણાં ગાતા, રાગ આલાપતા રાહુલ ગાંધી જવાબ આપશે? પી. ચિદમ્બરમ તત્કાલીન ગૃહપ્રધાન હતા - એમણે જાહેરમાં કૉંગ્રેસ સરકારનો દેશહિત વિરોધ ભાંડો ફોડયો છે અને આ બાબત અત્યાર સુધી મૌનવ્રતધારી રાહુલ ગાંધી હવે રાષ્ટ્રની માફી માગે - આપણી સેના અને સરકારને કમજોર કહેનારા રાહુલ ગાંધી હવે દેશને મોઢું બતાવશે? ખોલશે?

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક